Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧૪ મેના રોજ મહારાષ્ટ્રમાં ખેડૂત સંગઠનો દ્વારા જેલભરો આંદોલનની જાહેરાત

મુંબઇ : મહારાષ્ટ્રમાં ખેડૂત સંગઠનોએ ૧૪મી મેના રોજ જેલ ભરો આંદોલન કરવાની ઘોષણા કરી છે. ખેડૂતોની માગણી છે કે મહારાષ્ટ્ર સરકાર તેમની લોન અને વીજળી બિલને માફ કરે. છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા જેલભરો આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ જેલભરો આંદોલનમાં મહારાષ્ટ્રના બે લાખથી વધુ ખેડૂતો સામેલ થવાની સંભાવના છે.

(4:41 pm IST)