Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

નરેન્દ્રભાઈની હત્યા કરી ''મિર્ઝા'' જમૈકા ભાગી જવાનો હતો

ગુજરાતમાં વડાપ્રધાનની સ્નીપર રાઈફલથી મોત નિપજાવવાનું આતંકી કાવત્રુ બહાર આવ્યું: ઉબેદ મિર્ઝા અંકલેશ્વરમાંથી ઝડપાયો હતો

અમદાવાદ તા.૧૦: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહયું હતું. સ્નાઇપર રાઇફલથી નરેન્દ્રભાઇની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. આઇએસ આતંકી સંગઠનના ઓપરેટીવ ઉબૈદ મિર્ઝાએ આ પ્લાન ઘડયો હતો. આ આતંકીની ગુજરાત એટીએસ એ ૨૫ ઓકટોબરના રોજ અંકલેશ્વરથી ધરપકડ કરી હતી. અને આતંકીની ચાર્જશીટ તૈયાર કર્યા બાદ આ ખુલાસા થયા છે. આ આતંકી શ્રી મોદીની હત્યા કર્યા બાદ જમૈકા ફરાર થવાનો હતો.

કોણ છે આ ઉબેદ?

વકીલ ઉબેદ અહેમદ મિર્ઝા ઉર્ફે, ઉબેદ મિર્ઝા ઉઝર અબ્દુલ રઉફ બેગ, સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં ક્રિમીનલ એડવોકેટની પ્રેકટીસ કરતો હતો. હુમલો કર્યા બાદ જમૈકા હિઝરત કરી જવાના હતા.

ઉલ્લેખનીય છેકે, આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં દેશના વડાપ્રધાન શ્રી મોદીને મારવાનું ષડયંત્ર રચવાના આરોપમાં પોલીસે તમીલનાડું ના એક શખ્સની ધરપકડ કરી હતી. જેની ધરપકડ એક સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ એક ઓડિયોના આધારે કરવામાં આવી હતી. જેમાં તે પ્રકાશ નામના વેપારી સાથે વાત કરી રહ્યો હતો.

જોકે, પોલીસને આ મામલે ઓડિયો વાયરલ થયા બાદ જ ખબર પડી. જેમાં વડાપ્રધાનની હત્યાનું ષડયંત્ર કરવાના આરોપી શખ્સ કોઇ પ્રકાશ નામના વેપારી સાથે મોબાઇલ પર વાત કરી રહયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઓડિયો કિલપમાં કહેવામાં આવ્યું છેકે, પીએમ મોદીને પતાવી દો. આરોપી શખ્સની ઓળખ રફીક મોહમ્મદ નામની થઇ હતી, જે કોઇમ્બતુરના કુનિયામુથુરનો રહેનારો છે. સમાચાર એજન્સી એએનઆઇના જણાવ્યા અનુસાર, રફીકને વર્ષ ૧૯૯૮ માં થયેલ કોઇમ્બતુર બોમ્બ બ્લાસ્ટ મામલે દોષિત થયો હતો.

(4:42 pm IST)