Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મધ્યપ્રદેશ : ૫૦ તબીબો દ્વારા અપાયેલું રાજીનામુ

કોરોના ભયના લીધે રાજીનામા

ગ્વાલિયર, તા.૧૦  : મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં એક સાથે ૫૦ તબીબોએ રાજીનામા આપી દીધા છે. કોરોનાના પરિણામ સ્વરુપે આ તબીબોએ દહેશતમાં રાજીનામા આપ્યા છે. તબીબોના રાજીનામાથી આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. જો કે, રાજ્યમાં એસ્મા લાગૂ હોવાથી જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો ફરજથી પીછેહઠ કરી શકે નહીં. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, આ લોકોએ પહેલાથી જ રાજીનામા આપી દીધા હતા. કોરોનાના પરિણામ સ્વરુપે ગ્વાલિયર ગજરાજા મેડિકલ કોલેજમાં ત્રણ મહિના માટે ૯૨ તબીબોની નિમણૂંક કરવામાં આવી હતી. આ તમામ જીઆર મેડિકલ કોલેજથી પાસઆઉટ હતા. તેમની નિમણૂંક જુદા જુદા વિભાગોમાં અસ્થાયીરીતે કરવામાં આવી હતી.

(7:40 pm IST)