Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મહિલા ઘરે પહોંચવા માટે ૩૦૦ કિલોમીટર ચાલી, આખરે ભૂખને કારણે મોત નિપજયું

બેલ્લારી, તા. ૧૦ : કર્ણાટકના બેલ્લારીમાં એક દુખદ ઘટના બની છે. લોકડાઉન બાદ એક મજૂર મહિલા બેન્ગલોરથી ચાલીને રાયચુર જવા નીકળી હતી. ખુલ્લા પગે અને ભૂખી-તરસી મહિલા લગભગ ૩૦૦ કિલોમીટર સુધી ચાલી હતી અને અંતે તેનું મોત થયું હતું. આ ઘટનાએ લોકોને હચમચાવી મૂકયા છે.

મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ર૯ વર્ષની મહિલા ગંગમ્માના મોત પર દુઃખ વ્યકત કરતાં કહ્યું, ગંગમ્માનું મોત દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક છે. સાથે જ સીએમે મૃતકના પરિવારજનોને વળતર આપવાની અને આ મુદ્દે તપાસ કરવાની માગણી કરી છે.

    લોકડાઉન બાદ કામ બંધ  થવાથી બેન્ગલોર છોડવા મજબૂર બનેલા મજૂરોના સમૂહમાં ગંગમ્મા પણ હતી. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારે વારંવાર રાજય સરકારને આદેશ કર્યો કે તેઓ પ્રવાસી શ્રમિકોને ભોજન અને આશ્રય આપે અને સાથે જ સુનિશ્ચિત કરે કે શ્રમિકો જયાં છે ત્યાં જ રહે.

(9:59 am IST)