Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના વાયરસ સામે લડવા પ્લાઝમા થેરાપીની મદદ લેશે કેરળ: આઈસીએમઆરે આપી મંજૂરી

મહિનાના અંતમાં ટ્રાયલ શરૂ : આક્ષેપિક પ્લાજ્મા થેરેપીનો એક પ્રકાર

 

નવી દિલ્હી :કેરળ દેશનું એવુ પહેલુ રાજ્ય બનવા જઈ રહ્યું છે જે કોરોના વાયરસ સંક્રમણના ઈલાજ માટે પ્લાજ્મા થેરેપીનુ ક્લિનિકલ ટ્રાયલ કરવા જઈ રહ્યું છે. થેરેપીમાં ઠીક થઈ ગયેલા દર્દીનાં લોહીની એન્ટીબોડીજનો ઉપયોગ કરવામાં આવે છે.

રાજ્યના શ્રી ચિત્રા તિરુનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર મેડિકલ સાઈંસ એન્ડ ટેક્નોલોજીના પોતાના તરફથી પહેલા પોજેક્ટને ઈન્ડિયન કાંઉસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) રાજ્ય સરકારને તેની મંજૂરી આપી દીધી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વિજ્ઞાન અને તકનિકી વિભાગની અંદર આવનાર વિભાગ ભારતીય દવા નિયંત્રણ અને આચાર સિમિતિની મંજૂરી મળ્યા બાદ મહિનાના અંતમાં ટ્રાયલ શરૂ કરી શકે છે.

સંસ્થાનની નિર્દેશક ડોક્ટર આશા કિશોરે કહ્યું, આના ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે અમને આઈસીએમઆરની મંજૂરી મળી ગઈ છે. તેમણે કહ્યું આક્ષેપિક પ્લાજ્મા થેરેપીનો એક પ્રકાર છે. તેમા કોરોનાથી પુરી રીતે ઠીક થવાવાળા લોકોના પ્લાજ્માનો ઉપયોગ થાય છે.

(12:53 am IST)