Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગુજરાત સહિત દેશના આઠ રાજયોમાં છેલ્લા બે ચાર દિવસમાં બમણા વધ્યા કોરોના સંક્રમણના મામલા

નવી દિલ્લીઃ દુનિયાભરમાં તબાહી મચાવી રહેલ કોરોનાનો કહેર હવે ભારતમાં દેખાવા લાગ્યો છે. દેશના સર્વાધિક પ્રભાવિત ૧૦ રાજયોમાંથી ૮માં છેલ્લા બે ચાર દિવસમાં સંક્રમિત થવા વાળા દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કોરોના સંક્રમણ જે ગતિએ વધી રહ્યો છે એનાથી સાફ લાગે છે કે હવે દેશ કોરોના સંક્રમણના ત્રીજા ચરણમાં પ્રવેશ કરવાનો છે. સ્થિતિ વધારે બગડશે.

ભારતમાં આ ખતરનાક વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા પર૭૪ થઇ ગઇ છે. દિલ્લીમાં ફકત બે દિવસમાં સંક્રમણનો દર બમણો જોવા મળ્યો. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં ત્રણ દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ.

(8:38 am IST)