Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કુરિયર, પાર્સલ સેવાઓને કામકાજની અનુમતિ આપી શકે છે સરકાર, નિકાસકારોને પણ થોડી રાહત સંભવ

નવી દિલ્લીઃ કંપનિઓને મોટી રાહત આપવા સરકાર જલ્દી કુરિયર અને પાર્સલ સેવાઓને પરિચાલનની અનુમતિ આપી શકે છે. સૂત્રોએ જાણકારી આપી કંપનિઓ પાસે વેપાર સંબંધિત દસ્તાવેજ મોટી માત્રામાં જમા થઇ ચૂકયા છે. સૂત્રોએ કહ્યું કુરિયર અને પાર્સલ સેવાઓને અનુમતિ પર જલ્દી ફેંસલો કરવામાં આવે.

કેન્દ્ર સરકાર દેશમાં મેન્યુફેકચરિંગ યૂનિટના આંશિક પરિચાલન માટે પણ રાજયો સાથે વાતચીત કરશે. ફિયોના અધ્યક્ષ એસ. સરોફએ કહ્યું સરકાર કારખાનાઓને ઓછામાં ઓછા પ૦ ટકા શ્રમબળ સાથે ખોલવાની અનુમતિ આપવી જોઇએ અમે બધા સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધી નિયમોનું પાલન કરીશું.

(12:00 am IST)