Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક ની કમાલ : થોડી ક્ષણોમાં જ કોરોના વાઇરસનું નિદાન થઇ જશે

લોસ એંજલસ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના નિદાનમાં થતી ઢીલને કારણે વધી રહેલા કેસ વચ્ચે આશાના કિરણ સમાન ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક ભરત નારાયણે એ વન ટેક્નિકથી થોડી ક્ષણોમાં જ કોરોના વાઇરસનું નિદાન કરી આપતો સોફ્ટવેર તૈયાર કર્યો છે.જે મુજબ છાતીના એક્સરેને સ્કેન કરવાથી  કોરોના વાઇરસનું નિદાન થઇ જશે
ભારતના ચેન્નાઈના વતની ભરત નારાયણ ઓહિયોની ડેટન યુનિવર્સીટીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:32 am IST)