Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

હરિભાઈ આધુનિકને શ્રધ્ધાંજલી અર્પતા રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામગર, તા. ૧૦ : રાજય સભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ઘ કૃષ્ણ ભકત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય શ્રી હરિભાઈ આધુનિકના અવસાન અંગે શોક વ્યકત કર્યો છે.

એક શોક સંદેશામાં શ્રી નથવાણીએ જણાવ્યું કે શ્રી હરિભાઈ આધુનિક દ્વારકાના વિકાસ માટે થતા સંન્નિષ્ઠ પ્રયાસોમાં હંમેશા સક્રિય અને સહભાગી રહ્યા. તેઓ પોતાના સૌમ્ય અને મૃદુ સ્વભાવ તથા રચનાત્મક અભિગમને લીધે સર્વપ્રિય રહ્યા હતા. તેમના અવસાન બદલ હું મારી આદરાંજલિ અર્પિત કરું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શ્રીજી ચરણોમાં પરમ પદ પ્રાપ્ત થાય તથા તેમનાં સ્વજનોને સાંત્વના પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ.

(12:49 pm IST)