Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

એકિઝટ પોલના પરિણામોથી ભાજપ સ્તબ્ધ : પરોઢીયા સુધી શાહ - નડ્ડાએ એક - એક સીટનું વિશ્લેષણ કર્યુ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન પૂરૂ થયા બાદ થયેલા બધા જ એકિઝટ પોલમાં આમ આદમી પાર્ટી (આપ) ફરી સત્તામાં આવવાની હોવાની આગાહી કરવામાં આવી છે. કોઈપણ એકિઝટ પોલમાં ભાજપના સત્તામાં આવવાના કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. એકિઝટ પોલ્સના પરિણામો જાહેર થયા બાદ ભાજપે તેના વરિષ્ઠ નેતાઓની એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, ભાજપના વર્તમાન પ્રમુખ જે.પી. નડ્ડા, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. અમિત શાહ અને જે.પી. નડ્ડાએ શનિવારે મોડી રાત્રે ૩ વાગ્યા સુધી દિલ્હીની એક - એક બેઠકનું વિશ્લેષણ કર્યુ હતું. એકિઝટ પોલ્સથી 'આપ' આશાસ્પદ છે. જયારે ભાજપે એકિઝટ પોલ્સને ખોટા ગણાવીને પોતાના વિજયનો દાવો કર્યો છે.

(1:00 pm IST)