Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા રોકવાની સરકારની નીતિ અતાર્કિક છે એ સાબિત કરો : મુંબઈ હાઇકોર્ટ

કોર્ટે એમ પણ કહ્યું હતું કે રસીકરણ એ COVID-19 સામે લડવા માટે "એક શસ્ત્ર જેવું" છે:જેઓએ ડોઝ લીધો નથી તેઓ આ કવચથી સુરક્ષા નથી મેળવી રહ્યા તો પછી કઇ રીતે લૉકલ ટ્રેનમાં મુસાફરી અંગેના પ્રતિબંધો હટાવી લેવાય

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સોમવારે જણાવ્યું હતું કે Covid-19 સામે રસી ન અપાઈ હોય તેવા લોકોને મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાથી રોકવાની સરકારની નીતિનો વિરોધ કરનારાઓએ સાબિત કરવું પડશે કે આ નીતિ અતાર્કિક છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમએસ કર્ણિકની ખંડપીઠે કહ્યું કે આવું કહેનારાઓ સાબિત કરે કે આ નીતિ અતાર્કિક છે તો જ કોર્ટના આત્મા પર કોઇ અસર પડશે અને તેઓ લોકલ ટ્રેનની યાત્રા પર જે પ્રતિબંધો છે તેની પર કંઇ કામ કરશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રસીકરણ એ COVID-19 સામે લડવા માટે "એક શસ્ત્ર જેવું" છે અને જેઓએ ડોઝ લીધો નથી તેઓ આ કવચથી સુરક્ષા નથી મેળવી રહ્યા તો પછી કઇ રીતે લૉકલ ટ્રેનમાં મુસાફરી અંગેના પ્રતિબંધો હટાવી લેવાય.

મુંબઈના રહેવાસી ફિરોઝ મીઠીબોરવાલા અને યોહાન ટેંગરા દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની બેન્ચે આ અવલોકન કર્યું હતું. બંને અરજદારોએ કોર્ટને મહારાષ્ટ્ર સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને રદ કરવાની વિનંતી કરી છે જેમાં માત્ર એન્ટી-Covid-19 રસીના બંને ડોઝ લેનારાઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ છે. અરજદારોના વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું. અદાલતે કહ્યું કે જેમણે રસી લીધી નથી તેવા લોકો સામે આવા પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે અને તે સમાનતા, જીવન અને સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે. જો કે, આ મહિનાની શરૂઆતમાં રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી કહ્યું હતું કે આ પ્રતિબંધ વાજબી છે અને નાગરિકોના જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોને અસર નથી કરતા. રાજ્ય સરકારે કહ્યું કે તે આવા નિયંત્રણો લાદીને તે તમામ નાગરિકોના રક્ષકનો ભૂમિકા ભજવે છે, પોતાના કર્તવ્યનું પાલન કરે છે

(10:34 pm IST)