Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

હરિદ્વાર ધર્મ સંસદ વિવાદઃ હેટ સ્‍પીચ આપનારાઓની વિરૂદ્ધ કાર્યવાહીની માંગઃ સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર

આ કથિત ‘ધર્મ સંસદ' દરમિયાન ઘણા લોકો દ્વારા નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલાની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એસઆઈટી ગઠિત કરી છે

નવી દિલ્‍હી, તા.૧૦: ઉત્તરાખંડના હરિદ્વારમાં તાજેતરમાં યોજાયેલી ‘ધર્મ સંસદ' દરમિયાન હેટ સ્‍પીચ અને ઉશ્‍કેરણીજનક નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરતી PILના સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટસંમત થઈ હતી.
ચીફ જસ્‍ટિસ એનવી રમણાની અધ્‍યક્ષતાવાળી બેન્‍ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલની રજૂઆતો ધ્‍યાનમાં લેવામાં આવી છે કે એફઆઈઆર નોંધવામાં આવી હોવા છતાં દ્વેષપૂર્ણ ભાષણો સામે કોઈ પગલાં લેવામાં આવ્‍યા નથી.
સિબ્‍બલે કોર્ટમાં કહ્યું હરિદ્વારમાં ૧૭ થી ૧૯ ડિસેમ્‍બરની વચ્‍ચે ધર્મ સંસદમાં જે થયું, તે સંબંધમાં મેં PIL દાખલ કરી છે. આપણે એવા મુશ્‍કેલ સમયમાં જીવી રહ્યા છીએ જયાં દેશમાં ‘સત્‍યમેવ જયતે'નો નારા બદલાઈ ગયો છે. આ પછી CJI રમનાએ કહ્યું કે કોર્ટ આ મામલાની સુનાવણી કરશે.
આ કથિત ‘ધર્મ સંસદ'દરમિયાન દ્યણા લોકો દ્વારા નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલાની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એસઆઈટી ગઠિત કરી છે. ગયા અઠવાડિયે ગઢવાલના DIG કેએસ નાગન્‍યાલે જણાવ્‍યું હતું કે કેસની તપાસ માટે ૫ સભ્‍યની SIT ગઠિત કરવામાં આવી છે. જયારે તેમને પૂછ્‍વામાં આવ્‍યું કે આ કેસથી જોડાયેલા દ્યણા લોકોની ધરપકડ પણ થશે તો નાગન્‍યાલે કહ્યું કે નિશ્ચિત રીતે જો તપાસમાં મજબૂત પુરાવા મળશે તો ચોક્કસ ધરપકડ થશે.
તેમને જણાવ્‍યું હતું કે આ કેસમાં ૫ લોકોની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં વસીમ રિજવી, જેમને ગયા મહિને હિન્‍દુ ધર્મ અપનાવ્‍યા બાદ જીતેન્‍દ્ર નરાયણ ત્‍યાગી નામ રાખ્‍યું છે. સાધવી અન્નપુર્ણા ધર્મદાસ, સંત સિંધુ સાગર અને ધર્મ સંસદના આયોજક અને ગાજિયાબાદના ડાસના મંદિરના મુખ્‍ય પૂજારી યતિ નરસિમ્‍હાનંદ સામેલ છે. અધિકારીઓએ જણાવ્‍યું કે એફઆઈઆરમાં કલમ ૧૫૩-એ સિવાય ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૨૯૫ પણ ઉમેરવામાં આવી છે. હરિદ્વારના વેદ નિકેતન ધામમાં ૧૬-૧૯ ડિસેમ્‍બર દરમિયાન.

 

(3:42 pm IST)