Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમરીશભાઈ ડેરની સ્પષ્ટ જાહેરાત, તેમને કોરોના થયો નથી: પ્રતાપભાઇ દુધાતની તબિયત સારી છે

સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે ધધરખમ ગજાના કોંગી  ધારાસભ્યોને કોરોના વળગ્યો હોવાના અહેવાલો પ્રસારિત થયા છે ત્યારે ધારાસભ્ય અમરીશભાઈ ડેર એ એક વીડિયો દ્વારા સ્પષ્ટતા કરી છે કે તેઓ  કોરોના સંક્રમિત થયા નથી. પ્રતાપભાઇ દુધાતને કોરોનાની અસર થઈ છે પરંતુ તેઓ પણ બિલકુલ સ્વસ્થ છે. તેમણે ઇશ્વરને પ્રાર્થના કરી છે કે સમસ્ત વિશ્વ કોરોનાની ત્રીજી લહેરમાંથી ઝડપથી બહાર નીકળી જાય. શુભેચ્છકોનો તેમને આભાર માન્યો છે.

(12:00 am IST)