Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ત્રણ દિગ્ગજોનું મિલનઃ લતાજીના ખબર પૂછતા દિલીપકુમાર- શાયરાબાનુ

નવીદિલ્હીઃ હિન્દી સીનેમા જગતના સુપ્રસિધ્ધ ગાયીકા લતા મંગેશકરની થોડા દિવસો પહેલા નાદુરસ્ત તબીયતના કારણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. હાલ લતાજી એકદમ સ્વસ્થ છે. દાયકાઓથી ફિલ્મ જગતની પ્રખ્યાત જોડી અભિનેતા દિલીપકુમાર અને શાયરાબાનુએ લતાજીની ખબરની પૃચ્છા કરી હતી. દીલીપકુમાર ટ્વીટ કરી ફોટા શેર કર્યો હતો. તેમણે લખ્યુ હતુ કે મારી નાનીબેન લતાના સ્વાસ્થ્ય અંગેના સારા સમાચારથી એકદમ આનંદીત છુ. તે ખુબ જ સારૂ અનુભવે છે અને ઘરે છે. તમારૂ ધ્યાન રાખજો.

(3:49 pm IST)