Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

એસ.ટી.નિવૃત કર્મચારીઓ દ્વારા દિલ્હીમાં રેલી-જાહેરસભા

રાજકોટ તા.૯ : પેન્શન સહિતના પ્રશ્નોને લઇને એસ.ટી.નિવૃત કર્મચારીઓના ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા દિલ્હી જંતર મંતર ખાતે સભા અને વિશાળ રેલીનું આયોજન કરાયુ હતુ.

તેમાં ગુજરાતમાંથી એસ.ટી.નિવૃત કર્મચારી સંઘના અધ્યક્ષ એસ.એમ.બારીયાભાઇ મહામંત્રી કે.કે.દુધાત્રાભાઇ, ઉપાધ્યક્ષ કુરજીભાઇ કે.હરીયાણી - લશ્કરી, ઉપાધ્યક્ષ તથા શાહભાઇ દિલ્હી ખાતે ભાગ લેવા ગયેલા આ સભામાં ભારત દેશના કુલ ૧૮ રાજયોમાંથી ૧૦ હજાર નિવૃત કર્મચારીએ ભાગ લીધો હતો.

આ સભામાં ગુજરાત તરફથી કુરજીભાઇ કે.હરખાણીએ સભાને સંબોધન કરેલ તેઓએ કેન્દ્રના ધોરણે પેન્શન ભગતસિંહ કોશીયારી કમિટીના રીપોર્ટ મુજબ તાત્કાલીક ચાલુ કરે અને સુપ્રીમમાં રીવ્યુ પીટીશન પરત ખેચી ૬ર લાખ કર્મચારીને ન્યાય આપવા અવાજ ઉઠાવ્યો હતો.

(11:48 am IST)