Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સરકારી શાળાઓ-કોલેજો બંધ કરી દેવી જોઇએ તે નકસલવાદી પેદા કરે છે

શ્રી શ્રી રવિશંકરના નિવેદને ફરીદાબાદમાં હોબાળો મચી ગયો

ફરીદકોટ તા. ૯ :.. આર્ટ ઓફ લીવીંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરને તાજેતરમાં તેમને તેમના નિવેદનને કારણે ભારે મુશ્કેલીમાં મુકાવું પડયું હતું.

અહીંની ગુરૂ ગોવિંદસિંહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલમાં છાત્રોને સંબોધન કરવા શ્રી શ્રી ને બોલાવવામાં આવ્યા હતાં.

જે દરમ્યાન તેમણે એવું જણાવ્યું હતું કે સરકારી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવી જોઇએ કારણ કે તે નકસલીઓને પેદા કરે છે. તેમણે ખાનગીકરણની તરફેણ કરી હતી.તેમના આ વકતવ્યને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. છાત્રોએ નારેબાજી  કરી તેમનો વિરોધ કર્યો હતો. ઘટના બદ ફરીદકોટ પોલીસે લગભગ પ૦ થી ૬૦ છાત્રોની અટકાયત કરી હતી.દરમ્યાન આ અગાઉ તેમણે નકસલવદીઓને વખાણ્ય પણ હતાં. તેમણે છત્તીસગઢમાં કહયું હતું કે હું નકસલીને માન આવ્યું છે અને તેમના પ્રણની સાથે હું છું જો કે તેમણે કહયું હતું કે બંધુકના સહારે મકસદ પાર પાડવાના વિચાર સાથે હું સંમત નથી.

 

 

(3:45 pm IST)