Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અસમનાં ડિબ્રૂગઢમાં રેલ દુર્ઘટના: માલગાડીના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : દોડધામ

આસામના ડિબ્રૂગઢમાં નાહરકટિયા રેલવે સ્ટેશનની પાસે રવિવારે માલગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઈ છે. માલગાડી તિનસુકિયા જઈ રહી હતી. ત્યારે  માલગાડીના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી

 આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. દૂર્ઘટના એટલી જોરદાર હતી કે રેલના પાટા ઉખડી ગયા હતા અને તેની વચ્ચે લાગેલા સ્લીપર ચૂર ચૂર થઈ ગયા હતા.

 મામલાની ગંભીરતાને જોતા ઘટના સ્થળે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા હતા. દૂર્ઘટના સમયે રેલવે લાઈન પર અન્ય ટ્રેનની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. જો કે આ અકસ્માત કયા કારણસરથી થયો તે અંગે કોઈ માહિતી મળી નથી.

(9:29 am IST)