Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઉન્નાવ કાંડ મામલે યોગી સરકાર એક્શનમાં SHO સહિત 7 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

નવી દિલ્હી:ઉન્નાવ કાંડ મામલે યુપીની યોગી સરકારે SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. એસપી ઉન્નાવ વિક્રાંત વીરે આ મોટી કાર્યવાહી કરતા બિહાર પોલીસ સ્ટેશન એસએચઓ અજય ત્રિપાઠી સહિત અરવિંદ સિંહ રઘુવંશી, શ્રીરામ તિવારી, અબ્દુલ વસીમ, આરક્ષી પંકજ યાદવ, મનોજ અને સંદીપકુમારના નામ સામેલ છે

 . દુષ્કર્મ પીડિતાએ શુક્રવારે મોડી રાતે છેલ્લા શ્વાસ લીધા હતાં. ત્યારબાદ આજે તેના ગામ બહાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાએ દમ તોડ્યો હતો. પીડિતાના પરિજનોએ માગણી કરી હતી કે જ્યાં સુધી મુખ્યમંત્રી નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે પરંતુ ટોચના અધિકારીઓ દ્વારા આશ્વાસન મળ્યા બાદ તેઓ અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ ગયા હતાં.

 પરિવારે જણાવ્યું કે અવિવાહિત છોકરીઓના અંતિમ સંસ્કાર કરાતા નથી. આથી અમે પુત્રીને દફન કરી રહ્યાં છીએ. ઉન્નાવ રેપ પીડિતાને અપરાધીઓએ બાળી મૂકવાની કોશિશ કરી હતી. પીડિતાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પીડિતા 90 ટકા જેટલી દાઝી ગઈ હતી.

(12:00 am IST)