Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

દિલ્હીની બેઠકમાં સામેલ થવા ઉપેન્દ્ર કુશવાહને ન મળ્યું એનડીએનું આમંત્રણ

જોકે કુશાવાહ દિલ્હી રવાના : ઉપેન્દ્ર કુશવાહાના રાજકારણથી એનડીએએ તેમનાથી અંતર બનાવ્યું

નવી દિલ્હી: બિહારમાં આરએએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને લઇ રાજકારણ ગરમાયું છે.સંસદના શિયાળા સત્રને લઇ એનડીએના ઘટક દળની બેઠક થવાની છે. પરંતુ સમાચાર મળી રહ્યાં છે કે એનડીએની આ બેઠકમાં ઉપેન્દ્ર કુશવાહને આમંત્રિત કરવામાં આવ્યા નથી. જોકે ઉપેન્દ્ર કુશવાહા દિલ્હી રવાના થઇ ગયા છે.

એનડીએની બેઠકને લઇ ઉપેન્દ્ર કુશવાહ તરફથી સસ્પેન્સ છે. માનવામાં આવી રહ્યું છે કે ઉપેન્દ્ર કુશવાહા એનડીએની બઠકમાં સામેલ થવા ગયા છે. પરંતુ સમાચાર છે કે કુશવાહાને એનડીએની બેઠકમાં આમંત્રિક કરવામાં આવ્યા નથી. આ સાથે સ્પષ્ટ છે કે હવે ઉપેન્દ્ર કુશવાહાના રાજકારણથી એનડીએએ તેમનાથી અંતર બનાવ્યું છે

(10:38 pm IST)