Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

FPI દ્વારા ૫ સત્રમાં ૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે

ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર વેચવાલી જારી : ત્રણથી સાતમી ડિસેમ્બરના ગાળા દરમિયાન રોકાણકારો દ્વારા શેરબજારમાંથી ૩૮૩ કરોડ રૂપિયા પાછા ખેંચાયા

મુંબઈ, તા.૯ : વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી આશરે ૪૦૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. હુવાવેઈના સીએફઓની ધરપકડ બાદથી વૈશ્વિક શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. આ પહેલા ક્રૂડની કિંમતમાં નરમી અને રૂપિયામાં મજબૂતીથી વિદેશી મૂડીરોકાણકારોએ શેરબજારમાં ૬૯૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરીના નવેસરના આંકડા દર્શાવે છે કે, ત્રીજીથી સાતમી ડિસેમ્બરના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ શેરબજારમાંથી ૩૮૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આવી જ રીતે ડેબ્ટ માર્કેટમાં ૨૭૪૪ કરોડનું રોકાણ કર્યું છે. નવેમ્બર મહિનામાં સુધાર થયા બાદ ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર વેચવાલી જોવા મળી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, વેચવાલીનો દોર છઠ્ઠી ડિસેમ્બરના દિવસે શરૂ થયો હતો. તે દિવસે એફપીઆઈ દ્વારા એક જ દિવસમાં ૩૬૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. વિદેશી રોકાણકારોએ આ વર્ષે હજુ સુધી મૂડી બજારમાંથી ૮૫૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જે પૈકી શેરબજારમાંથી ૩૫૬૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૦૦૦૦ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં મળીને છેલ્લા બે મહિનામાં ૬૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા તે પહેલા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૩૦૦ કરોડ રોકવામાં આવ્યા હતા.  જાન્યુઆરી બાદથી સૌથી ઉંચો રોકાણનો આંકડો રહ્યો છે. જાન્યુઆરીમાં ૨૨૨૪૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ઉત્સાહ વધારવામાં આવ્યો છે.  વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી હળવી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.  ઓક્ટોબર મહિનામાં જે નાણાં પરત ખેંચવામાં આવ્યા હતા તે છેલ્લા બે વર્ષમાં કોઇ એક મહિનામાં પરત ખેંચવામાં આવેલા સૌથી જંગી નાણા હતા. વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં મળીને ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. તે પહેલા તેઓએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા પરત ખેંચી લીધા હતા. બીજી બાજુ વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ટેન્શન વધતા ઉભરતા માર્કેટ ઉપર તેની માઠી અસર થઇ છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. વૈશ્વિક સ્તર પર વ્યાજદરોમાં વધારો થઇ રહ્યો છે. સુરક્ષિત વિકલ્પો ઉપર ચર્ચા ચાલી રહી છે. અન્ય આકર્ષક વિકલ્પો ઉપર પણ ચર્ચા થઇ રહી છે. ભારતની સરખામણીમાં વેલ્યુએશનની દ્રષ્ટિએ તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં મૂડી માર્કેટમાંથી ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તે પહેલા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ ઠલવાયા હતા. હવે ફરીવાર રોકાણનો દોર શરૂ થયો છે.

FPI દ્વારા વેચવાલી....

*   વિદેશી રોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં શેરબજારમાંથી ૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*   આ પહેલા ક્રૂડની કિંમતોમાં નરમાઈ અને રૂપિયામાં મજબૂતીથી ૬૯૦૦ કરોડનું રોકાણ કરાયું હતું

*   ત્રીજીથી સાતમી ડિસેમ્બર દરમિયાન રોકાણકારોએ શેરબજારમાંથી ૩૮૩ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*   ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર વેચવાલીનો માહોલ રહ્યો

*   રોકાણકારોએ આ વર્ષે હજુ સુધી મૂડી બજારમાંથી ૮૫૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે

*   એફપીઆઈ દ્વારા આ વર્ષે હજુ સુધી મૂડી માર્કેટમાંથી ૮૮૦૦૦ કરોડ પાછા ખેંચી લેવાયા જે પૈકી ઇક્વિટીમાંથી ૩૫૦૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૩૦૦૦ કરોડ પાછા ખેંચાયા

*   ચીન અને બ્રાઝિલ જેવા ઉભરતા માર્કેટમાં એફપીઆઈ દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

*   અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ટેન્શનને લઇને ઉભરતા માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ

 

(7:56 pm IST)