Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ટ્રેનોની ટોયલેટમાં ઉપયોગી પાણી પુરતા પ્રમાણમાં હશે

કોચમાં અપુરતા પાણી અંગે ફરિયાદ બાદ નિર્ણય : ટ્રેનોમાં પાણી ખુટી પડવા માટેની સમસ્યા ઇતિહાસ બનશે આગામી વર્ષે માર્ચથી નવી વ્યવસ્થા અમલી કરવા નિર્ણય

નવી દિલ્હી, તા. ૯ : ટ્રેનોમાં મુસાફરી કરતા યાત્રીઓને પાણીને લઇને પડતી તકલીફ હવે ઇતિહાસ બની જશે. કારણ કે, રેલવે દ્વારા હવે એક એવી વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે જેના કારણે સ્ટેશનો ઉપર પાણી ભરવાનો સમય ૨૦ મિનિટથી ઘટીને માત્ર પાંચ મિનિટનો થઇ જશે. રેલવે દ્વારા આગામી વર્ષે માર્ચ મહિનામાં એક એવી વ્યવસ્થા રજૂ કરવામાં આવનાર છે જેનાથી ટ્રેનો માટે પાણી ભરવા માટેની વ્યવસ્થા ઉલ્લેખનીયરીતે ઘટી જશે. ૧૪૨ સ્ટેશનો ઉપર આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેનોમાં મુસાફરી કરતા યાત્રીઓને પાણી ઉપરાંત ટ્રેનોમાં પાણીની સમસ્યા ટોયલેટમાં પણ ગંભીરરીતે રહે છે. હાલમાં જ રેલવે બોર્ડે આ પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડ રૂપિયાની મંજુરી આપી છે. રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજના મુજબ લાંબા અંતરની ટ્રેનોમાં પાણી ટોયલેટ અને વોશબેસિંગમાં ઉપયોગ કરવા માટે પ્રતિ ૩૦૦થી ૪૦૦ કિલોમીટરના અંતરે ભરી દેવામાં આવે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લાંબા અંતરની ટ્રેનોમાં પાણી ન ઘુટે તેની ખાતરી કરવામાં આવશે. ઝડપી વોટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ૨૪ કોચની ટ્રેનમાં માત્ર પાંચ મિનિટની અંદર પાણી ભરી દેવામાં આવશે. જ્યારે ઘણી બધી ટ્રેનોમાં આટલા સમયમાં પાણી ભરી કાઢવામાં આવશે. કોચમાં અગાઉ પાણી ચાર ઇંચની પાઇપની મદદથી ભરવામાં આવે છે. હવે તેની જગ્યાએ છ ઇંચની પાઇપનો ઉપયોગ કરવામાં આવશે. હાઈપાવર મોટરની સાથે છ ઇંચની પાઇપનો ઉપયોગ કરવામાં આવશે. આરડીએસઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુપરવાઈઝરી કન્ટ્રોલ એન્ડ ડેટા નામથી રહેલી કોમ્પ્યુરાઇઝ્ડ સિસ્ટમ મારફતે ટ્રેનોમાં પાણી સપ્લાય કરવામાં આવશે. રેલવે બોર્ડના સભ્ય (રોલિંગ સ્ટોક) રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે, જૂની પાઇપમાં પુરતા પ્રમાણમાં પ્રેશરની સ્થિતિ ન હતી જેથી કોચમાં ૧૮૦૦ લીટર પાણીની ક્ષમતા સાથે ટેગ ભરવા માટે ૨૦ મિનિટનો સમય લાગતો હતો જેના લીધે અછત રહેતી હતી. રેલવે મંત્રાલયના અધિકારીના કહેવા મુજબ કોચમાં અપુરતા પાણીની અનેક સમસ્યાઓ નડી રહી હતી પરંતુ હવે સ્થતિમિાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં આ સમસ્યા હવે દૂર થશે અને ટ્રેનના યાત્રીઓને રાહત થશે. લાંબા અંતરની ટ્રેનોમાં યાત્રીઓની ફરિયાદ મળી રહી હતી તેની નોંધ લેવામાં આવી છે. મંત્રાલયે હવે વોટર પ્રેશરને વધારવા માટે ૪૦૦ હોર્સપાવરના પંપ સ્થાપિત કરવા ઇચ્છુક છે. આના કારણે ખુબ ઝડપથી કોચમાં પાણી ભરી શકાશે. ટ્રેનોની સુવિધા વધુ વધશે.

(8:03 pm IST)