Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વરઘોડા બાદ રેષકોર્ષ ગ્રાઉન્‍ડમાં પ્રવેશ વખતે મુમુક્ષુ આરાધનાબેન મનોજભાઇ ડેલીવાળા ઉપર મંડપની કમાન પડીઃ માથામાં રપ ટાંકા આવ્‍યા

સારા કામમાં સો વિધ્‍નઃ ગુરૂદેવ નમ્રમુની મ.સા.ના આર્શીવાદથી મોટી દુર્ઘટના ટળી

રાજકોટઃ રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના ચરણ-શરણમાં દીક્ષા લેવા માટે આજે મુમુક્ષુઓ આરાધનાબેન અને ઉપાસનાબેનનો વરઘોડો નીકળ્યો હતો. પ્રોસેસનના રેષકોર્ષ ગ્રાઉન્‍ડમાં પ્રવેશ સમયે લોકોના ભારે ઘસારાના કારણે એન્‍ટ્રી ગેઇટની કમાન તુટતા દીક્ષાર્થી આરાધનાબેન મનોજભાઇ ડેલીવાળા ઉપર પડતા તેમને માથામાં ગંભીર ઇજા સાથે સીર્નજી હોસ્‍પીટલ ખસેડવામાં આવ્‍યા હતા. જયાં ડો. જયેશ ડોબરીયા તથા તેમનીટીમ દ્વારા ત્‍વરીત સારવાર આપવામા આવી હતી.  તેમને માથામાં રપ  ટાંકા આવ્‍યાનું જાણવા મળે છે. મુમુક્ષુ આરાધનાબેન  ફરી સ્‍વસ્‍થ થઇ દિક્ષા મંડપમાં પહ઼ોચ્‍યા હતા.

(1:24 pm IST)