Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

છત્તીસગઢમાં બનેલી ચકચારી ઘટના

સીઆરપીએફ જવાને ચાર સાથીને ઠાર માર્યા

રાયપુર, તા. ૯, છત્તીસગઢના બસ્તર પ્રદેશમાં અર્ધલશ્કરી દળના જવાને પોતાના સાથીઓની ઘાતકી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. સીઆરપીએફના કોન્સ્ટેબલે પોતાના જ ચાર સાથીઓની હત્યા કરી હતી અને અન્ય એકને ઇજા કરી દીધી હતી. બસ્તરમાં બડાગુડામાં ૧૬૮મી બટાલિયનના જવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ આ બનાવ બન્યો હતો. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (બસ્તર) વિવેકાનંદ સિંહાએ કહ્યું છે કે, આજે સાંજે ૫.૧૫ વાગે બિજાપુરમાં બડાગુડા સીઆરપીએફની બટાલિયનના જવાનો વચ્ચે મિત્રોમાં બોલાચાલી થઇ હતી. સિનિયરો સાથે બોલાચાલી બાદ આ બનાવ બન્યો હતો. માર્યા ગયેલાઓમાં બે સબ ઇન્સ્પેક્ટર, એક એએસઆઈ અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

 

(11:13 pm IST)