Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને કોરોના

હોમકવોરેન્ટાઇન થયાઃ ટવીટ થકી આપી માહિતિ

ચેન્નાઇ, તા.૯: સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ કે પછી કોઈપણ નેતા કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણથી કોઈ બચી શકયું નથી. હવે વધુ એક નેતા અભિનેતા ચપેટમાં આવી ગયા છે. સાઉથના સુપરસ્ટાર અને નેતા ચિરંજીવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. અત્યારે તેઓ હોમ કવોરન્ટીન છે.

અભિનેતા ચિરંજીવીએ અપકમિંગ ફિલ્મ 'હું ફિલ્મ 'આચાર્ય'નું શૂટિંગ શરૂ કરતા પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ થયું હોવાની જાણ સુપરસ્ટારે પોતે ટ્વીટ કરીને કરી હતી. ત્યારથી ફેન્સ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

ચિરંજીવીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'હું ફિલ્મ 'આચાર્ય'નુ શૂટિંગ શરૂ કરવા માગતો હતો, આ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે, કોઇ કોરોનાના લક્ષણો નથી. મે તરત જ ખુદને કવોરન્ટીન કરી લીધો છે. જે કોઈ મને છેલ્લા ચાર-પાંચ દિવસમાં મળ્યા છે, તે પોતાનુ ટેસ્ટિંગ કરાવી લે. હું સમય સમય પર મારા સ્વાસ્થ્યની જાણકારી આપતો રહીશ'.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ ચિરંજીવી અને નાગાર્જુને તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ હતી. ચિરંજીવીનું અસલ નામ કોણિદેલ શિવ શંકર વર પ્રસાદ છે. ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ ચિરંજીવી રાખી લીધું. અભિનેતા સાઉથની ફિલ્મો સિવાય બોલીવુડની ફિલ્મો પણ કરી ચૂકયા છે. ભારતમાં જ નહી વિદેશોમાં પણ તેમના ફેન્સ છે.

(3:42 pm IST)