Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બગદાદના અલ-રાધવાનીયાંમાં ગ્રેનેડ હુમલો : 11 લોકોના મોત : 8 ઘાયલ

ચાર વાહનોમાં આવેલા હુમલાખોરોએ આર્મી ચોકી પર ગ્રેનેડ અને સ્વચાલિત શસ્ત્રોથી હુમલો કર્યો

બગદાદ:પશ્ચિમ બગદાદના અલ-રાધવાનિયાં જિલ્લામાં, ચાર વાહનો પર આવેલા હુમલાખોરો એ, આર્મી ચોકી પર ગ્રેનેડ અને સ્વચાલિત શસ્ત્રોથી હુમલો કર્યો હતો.

અજાણ્યા સશસ્ત્ર ગુનેગારોએ 11 લોકોની હત્યા કરી હતી. આ હુમલામાં સૈનિકો સહિત 08 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરોની શોધમાં સેના અને પોલીસ દળોએ કામગીરી શરૂ કરી દીધી છે.

(1:14 pm IST)