Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કોંગ્રેસે સુપ્રિમ કોર્ટના ફેંસલાને આવકાર્યોઃ અમે રામ મંદિર નિર્માણની તરફેણમાં છીએ

સર્વધર્મ સમભાવ અને ભાઇચારાનો માહોલ જળવાવો જોઇએઃ કોંગ્રેસ કારોબારી

નવી દિલ્હી,તા.૯: અયોધ્યા મુદ્દા પર આવેલા સુપ્રીમના નિર્ણય પર કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અયોધ્યા મામલે સુપ્રીમે કોર્ટના નિર્ણયનું સન્માન કર. છે. અમે દરેક સંબંધિત પક્ષો તેમજ દરેક સમુહોને નિવેદન કરીએ છીએ કે ભારતની સંવિધાનમાં સ્થાપિત સર્વધર્ન સમ્ભાવુ અને ભાઇચારાના ઉચ્ચ મૂલ્યોને નિભાવીને શાંતિ અને સૌહદપૂર્વક વાતાવરણ બનાવી રાખે દરેક ભારતીય જવાબદારી છે કે અમે દેશની સદિઓ જુની પરસ્પર સમ્માન અને એકતાની સંસ્કૃતિ તેમજ પરંપરાને જીવત રાખવી જોઇએ સુત્રોના જણાવ્યા મુજબ પક્ષના નેતાઓએ પહેલેથી જ સલાહ આપવામાં આવી છે કે કલમ ૩૭૦ની જેમ દરકે વિવિધ નિવેદનો આપે નહીં અયોધ્યાના નિર્ણયને જોઇને કોંગ્રેસ કાર્ય સમિતિનાની બેઠક પણ બોલવામાં આવી હતી.

પક્ષે કહ્ય્યું અમે દરેક સંબંધિ પક્ષો અને દરેક સમુદાયોને નિવેદન કરીએ સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોઇ એક વ્યકિત, સમૂહ, સમૂદાયો અથવા રાજનૈતિક પક્ષોની જીત કે હારનો મામલો નથી.

(3:36 pm IST)