Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કરતારપુર કોરિડોરના ઉદઘાટનના દિવસે અમૃતસર સહિત પંજાબના ૩ જિલ્લામાં રજાની ઘોષણા

પંજાબ સરકારએ કરતારપુર કોરિડોરના ઉદઘાટન વાળા દિવસે ૯ નવેમ્‍બરના અમૃતસર, ગુરદાસપુર અને કપૂરથલા જિલ્લામા રજા જાહેર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી કરતારપુર કોરિડોરનું લોકાપર્ણ અને પહેલા ગ્રુપને લીલીઝંડી બતાવશે. પંજાબના મુખ્‍યમંત્રી અમરિંદરસિંહ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને બીજેપી સાંસદ અને અભિનેતા સની દેઓલ આ ગ્રુપમાં ભાગ લેશે.    

કરતારપુર માટે પાસપોર્ટ પર પાકમાં મતભેદ છે ભારત સરકારએ કહ્યું શ્રધ્‍ધાળુઓ પાસપોર્ટ સાથે લઇ જાય.

(11:20 pm IST)