Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ગંગાજીનું સફાઈ અભિયાન ચલાવો છો પરંતુ તમારા હૃદય પ્રદુષિત થયા : સતા માટે આ હદે જશો મેં વિચાર્યું નહોતું: ઉદ્ધવજીના આકરા પ્રહારો

અમે મંત્રણાના દરવાજા ક્યારેય બંધ કર્યા નથી, પરંતુ તે અમારી સાથે જૂઠું બોલે છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના વચ્ચે ગઠબંધન સરકાર રચવાને આડે અંતરાય બાદ ભાજપના દેવેન્દ્ર ફડનવીશ અને શીવસેનાં અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને સંબોધન કર્યું હતું શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ગંગાજીનું સફાઈ અભિયાન તમે ચલાવો છો પરંતુ તમારા હૃદય પ્રદૂષિત થઈ ગયા છે. સત્તાની લાલસા માટે આ હદે જશો એવું મેં વિચાર્યું ન હતું. ખોટા લોકો સાથે જવા માટે મને ખૂબ જ ખેદ છે.

  શિવ સેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમે મંત્રણાના દરવાજા ક્યારેય બંધ કર્યા નથી, પરંતુ તે અમારી સાથે જૂઠું બોલે છે માટે અમે વાત કરી નથી. તમે હજી સુધી એનસીપી સાથે કોઈ જ ચર્ચા શરૂ કરી નથી.

(8:29 pm IST)