Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

જે હાથમાં કલમ હોવી જોઈએ તે હાથમાં બંદૂક કેમ?- છત્તીસગઢમાં વડાપ્રધાન મોદી

રાયપુર : રાયપુરના છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જગદલપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે, ભાઈબીજના તહેવારના દિવસે તમારી પાસે કંઈ માંગવા આવ્યો છે. અત્યાર સુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન થયા છે, તેમાં સૌથી વધુ વાર હું બસ્તર આવ્યો છે. જ્યારે પણ અહીં આવ્યો છે ખાલી હાથ ગયો નથી. મોદીએ કહ્યું કે, પહેલાની સરકારનો ધંધો તારા-મારાનો હતો, હું આજે મારી જવાબદારી નિભાવવા આવ્યો છું. જવાબદારી પ્રમાણે અહીંના લોકોની મુશ્કેલી દૂર કરવાની છે. પહેલાની સરકાર મારા-તારામાં રમી, પરંતુ અમારો ઈરાદો બધાનો સાથ બધાનો વિકાસ છે.


પ્રધાનમંત્રીએ કહ્યું કે, ''બસ્તરની સીટ પર કમળ જ ખીલવું જોઈએ. જો બીજું કોઈ આવી ગયું તો બસ્તરના સપનાઓ પૂરા નહીં થઈ શકે. આપણે અટલજીના સપનાઓને પૂરા કરવાના છે. તેથી જ અમે વારંવાર છત્તીસગઢ આવ્યા છીએ. છત્તીસગઢ હવે 18 વર્ષનું થઈ રહ્યું છે. તેથી જ અમે તેના સપનાઓને પૂરા કરી રહ્યા છીએ.'' તેમણે કહ્યું કે, ''છત્તીસગઢના વિકાસ માટે કેન્દ્રની સરકાર અને રાજ્યના રમણ સિંહ સરકાર સતત કાર્ય કરી રહી છે.''

પ્રધાનમંત્રી કહ્યુ કે, ''પહેલાંની સરકાર કહેતી હતી કે નક્સલીઓના કારણે અહીં વિકાસ નથી થતો. પરંતુ અમારી સરકારે દરેક મુશ્કેલીઓનો સામનો કરીને વિકાસ કર્યો છે. જે અર્બન માઓવાદીઓ છે તે તો શહેરમાં રહે છે અને તેમના બાળકો વિદેશોમાં ભણે છે. પરંતુ તેઓ શહેરોમાં બેસીને આદિવાસી બાળકોનું જીવન બરબાદ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અર્બન માઓવાદીઓના પક્ષમાં હોય છે અને તેઓ નક્સલવાદને મુદ્દો બનાવીને કોંગ્રેસ વોટની ખેતી કરી રહી છે.''

જ્યારે છત્તીસગઢ બન્યું ત્યારે તેમાં કોંગ્રેસની સરકાર બની હતી. તેમણે શરૂઆતથી છત્તીસગઢમાં ખોટું કામ શરૂ કર્યું. પરંતુ થોડા સમય પછી લોકોએ સમજણથી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી. બીજેપીની સરકારે છેલ્લાં 15 વર્ષમાં છત્તીસગઢના વિકાસમાં લોહી-પાણી એક કર્યું છે. PM કહ્યું કે, ''જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે રમણ સિંહ સરકારને મદદ નહતી કરતી. દિલ્હીની સરકાર છત્તીસગઢના દરેક સારા કામોને અટકાવવા માગતી હતી.''


પ્રધાનમંત્રી કહ્યું કે, ''નક્સલીઓએ એક પત્રકારને મારી દીધો હતો. તે તો માત્ર અહીં તેનું કામ કરવા આવ્યો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તે નક્સલીઓને ક્રાંતિકારી કહ્યાં હતાં. જેમણે એક નિર્દોષની હત્યા કરી દીધી હતી. જે લોકો લોકતંત્રને ખતમ કરવા માગે છે તેવા લોકોને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. બોમ્બ અને બંદૂકના રસ્તે સમસ્યાઓનું સમાધાન નથી આવતું.''

છત્તીસગઢમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થવાની છે. પહેલાં તબક્કામાં મહિને 12 તારીખે બસ્તર વિસ્તારના સાત જિલ્લા અને રાજનાંદગામ જિલ્લાની 18 સીટ અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગામ, નારાયણપુર, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, દંતેવાડા, બીજાપુર, કોંટા, રાજનાંદગામ, ડોંગરગઢ, ડોંગરગામ, ખુજ્જી, ખૈરાગઢ અને મોહલા-માનપુર પર મતદાન થશે. સીટોમાં 12 સીટ અનુસુચિત જનજાતિ માટે તથા એક સીટ અનુસૂચિત જાતી માટે આરક્ષિત છે.

 

(3:59 pm IST)