Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કેરળમાં કોરોનાના ઘટતા કહેર વચ્ચે દેશમાં નવા 17.921 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 23.576 દર્દીઓ રિકવર થયા : વધુ 213 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.50.621 થયો :એક્ટીવ કેસ 2.24.268 થયા : કુલ કેસની સંખ્યા 3.39.52.266 થઇ

સૌથી વધુ કેરળમાં 9470 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2486 કેસ, તામિલનાડુમાં 1344 કેસ, મિઝોરમમાં 950 કેસ,પશ્ચિમ બંગાળમાં 776 કેસ, આંધ્રપ્રદેશમાં 629 કેસ,ઓરિસ્સામાં 526 કેસ, કર્ણાટકમાં 451 કેસ,આસામમાં 273 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 17.921 કેસ નોંધાયા છે. જ્યારે 23.576 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 17.921 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 213 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.50.613 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 17.921 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.39.52.266 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.24.268 થઇ છે છેલ્લા 24 કલાકમાં 23.576 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.32.64.283 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 10.944 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2620 કેસ, તામિલનાડુમાં 1359 કેસ, મિઝોરમમાં 1080 કેસ,પશ્ચિમ બંગાળમાં 784 કેસ, આંધ્રપ્રદેશમાં 693 કેસ,ઓરિસ્સામાં 524 કેસ, કર્ણાટકમાં 397 કેસ,આસામમાં 318 કેસ નોંધાયા

(1:01 am IST)