Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કોરોનાના કેસમાં ઘટાડો

૨૪ કલાકમાં મળ્યા ૧૯,૭૪૦ દર્દીઃ ૨૪૮ મોત

દેશમાં કોરોનાથી સાજા થનારા કુલ લોકોની સંખ્યા ૩ કરોડ ૩૨ લાખ ૪૮ હજાર ૨૯૧ થઈ છેઃ દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮%, મોતનું પ્રમાણ ૧.૩% છે

નવી દિલ્હી, તા.૯: કોરોના વાયરસના નવા કેસમાં દ્યટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૧૯ હજાર ૭૪૦ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૨૪૮ દર્દીનાં મોત થયા છે. દેશમાં હાલ ૨ લાખ ૩૬ હજાર ૬૪૩ દર્દીની સારવાર ચાલી રહી છે. નવા આંકડા બાદ દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ ૩ કરોડ ૩૯ લાખ ૩૫ હજાર ૩૦૯ કેસ સામે આવી ચૂકયા છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી કુલ ૪ લાખ ૫૦ હજાર ૩૭૫ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૨૩,૦૭૦ લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા કુલ લોકોની સંખ્યા ૩ કરોડ ૩૨ લાખ ૪૮ હજાર ૨૯૧ થઈ છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮% છે, જયારે મોતનું પ્રમાણ ૧.૩% છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના નવા ૨૬૨૦ કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કુલ સંક્રમિત આંકડો વધીને ૬૫,૭૩,૦૯૨ થયો છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડને પગલે ૫૯ દર્દીનાં મોત થયા છે. અત્યારસુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ૧,૩૯,૪૭૦ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. કેરળમાં શુક્રવારે કોવિડ-૧૯દ્ગક્ન ૧૦,૯૪૪ કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪૭,૭૪,૬૬૬ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીને પગલે ૨૪ કલાકમાં રાજયમાં ૧૨૦ દર્દીનાં મોત થયા છે. રાજયમાં મૃતકોની સંખ્યા વધીને ૨૬,૦૭૨ થઈ છે.

શુક્રવારે સાંજે પ્રસિદ્ઘ થયેલા બુલેટિન પ્રમાણે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૯ કેસ નોંધાયા છે. જેની સામે ૧૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ ના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૪ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં આજની તારીખે રસીના કુલ ૬,૩૭,૫૮,૭૯૫ ડોઝ આપવામાં આવ્યા છે.

રાજયમાં ૮ ઓકટોબર ૨૦૨૧દ્ગક સાંજે બીજા નોરતે ૨૮ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જયારે બાકીના નવા ૧૯ કેસ ફકત ૫ જિલ્લા અને ૪ મનપામાં નોંધાયા છે, અમદાવાદ શહેરમાં ૪, સુરત શહેરમાં ૩, જૂનાગઢ જિલ્લામાં ૨, રાજકોટ જિલ્લામાં ૧, રાજકોટ શહેરમાં ૧, સુરત જિલ્લામાં ૧, વડોદરા શહેરમાં ૧ કેસ નોંધાયો છે. રાજયમાં હાલ ફકત ૧૭૬ એકિટવ કેસ છે. આ પૈકીના ૦૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ૧૭૨ દર્દી સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજયમાંથી ૮,૧૫, ૮૩૮ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

(1:04 pm IST)