Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી વચ્ચે ગંઠબંધન તૂટ્યું,

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અને અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઈએમ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. એમઆઈએમના સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું કે, ગઠબંધનને તોડવાનો નિર્ણય ઓવૈસીની સહમતિ પછી લેવામાં આવ્યો છે. કારણકે પ્રકાશ આંબેડકરની પાર્ટીને તેઓ ઓછી આંકી રહ્યા હતા.

આંબેડકર અને ઓવૈસીના અલગ થવાથી મહારાષ્ટ્રના રાજકારણના સમીકરણો બદલાશે તે નક્કી છે. શુક્રવારના રોજ સાંસદ ઈમ્તિયાઝ જલીલે પ્રેસનોટ જાહેર કરી ગઠબંધન તોડવાની ઘોષણા કરી હતી. જોકે સામે પક્ષે વંચિત બહુજન અઘાડીના નેતાઓએ કહ્યું કે જ્યાં સુધી આ અંગે અસદ્દુદ્દીન ઓવૈસી પોતે આ અંગે નિવેદન નહીં આપે ત્યાં સુધી તેઓ આ વાત માનવા તૈયાર નથી.

(12:00 am IST)