Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કાલે બપોરે 2 વાગ્યે નીતિશ કુમાર ફરી બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે જ્યારે તેજસ્વી યાદવ ઉપમુખ્યમંત્રી પદના શપથ લેશે

શપથ ગ્રહણ સમારોહ રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે યોજાશે

નવી દિલ્હી : બિહારની રાજનીતિમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે, ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ બિહારના રાજકીય ઘટનાક્રમમાં જબરું પરિવર્તન આવ્યું છે, નીતીશ કુમાર બુધવારે બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે યોજાશે. મંત્રીઓની શપથવિધિ બાદમાં થઈ શકે છે.

(8:51 pm IST)