Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

યુએસ નેવીનું એક જહાજ સમારકામ માટે ભારત પહોંચ્યું

ચેન્નાઈમાં ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના શિપયાર્ડમાં અમેરિકન જહાજનું સમારકામ કરાશે

યુએસ નેવીનું એક જહાજ સમારકામ માટે ભારત પહોંચ્યું છે. ચેન્નાઈમાં ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના શિપયાર્ડમાં અમેરિકન જહાજનું સમારકામ કરવામાં આવશે . તેને બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં આગળના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકન નૌકાદળનું જહાજ સમારકામ અને જાળવણી માટે ભારત આવ્યું છે.

(1:11 am IST)