Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ગૃહમંત્રી અમિત શાહ સાત દિવસમાં કોરોના મુક્ત થયા

શાહે કોરોના થયા પછી ટ્વિટર પર પોસ્ટ શેર કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના વાયરસનો રિપોર્ટ બીજી ઓગસ્ટના રોજ પોઝિટિવ બાદ હોસ્પિટલમાં હતા

નવી દિલ્હી, તા.૯ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ ૨ ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો. ૫૫ વર્ષના અમિત શાહે પોતાને કોરોના થયો હોવાની માહિતી ટ્વીટર દ્વારા આપી હતી, તેમણે જણાવ્યું હતું કે તેઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાખાવાના દાખલ થઈ રહ્યા છે. હવે ૭ દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કેન્દ્રીય ગૃહમંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું છે. મનોજ તિવારીએ લખ્યું છે કે, *દેશના યશસ્વી ગૃહમંત્રી અમિત શાહનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.* આ સાથે તિવારીએ શાહ અને પોતાનો એક કાર્યક્રમોનો ફાઈલ ફોટો પણ ટ્વીટ સાથે શેર કર્યો છે. અમિત શાહ સહિત દેશના ૪ કેન્દ્રીય મંત્રીઓન કોરોના થયો હતો હવે શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હજુ ત્રણ મંત્રીઓ છે કે જેઓ કોરોના વાયરસની સારવાર કરાવી રહ્યા છે.

        જેમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૈલાશ ચતુર્વેદી અને અર્જુન મેઘવાલનો સમાવેશ થાય છે. શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેમને જલદી હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. મહત્વનું છે કે, અમિત શાહે પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી ૨ ઓગસ્ટના રોજ આપી હતી. જેમાં તેમણે ટ્વીટર માધ્યમથી જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારું સ્વાસ્થ્ય સારું છે, પરંતુ ડૉક્ટરની સલાહ પ્રમાણે હું દવાખાનામાં દાખલ થયો છું. પોતાના પોઝિટિવ રિપોર્ટ અંગે માહિતી આપ્યા બાદ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે લોકો પાછલા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ પોતાનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી લે. તેમણે આ વિષયમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે, *હું વિનંતી કરું છું કે જે લોકો પાછલા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવે અને પોતે આઈસોલેશનમાં રહે.

(7:42 pm IST)