Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સુશાંતનો પંખો જરા પણ નમેલો ન હતો : ફોરેન્સિક

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો : ફોરેન્સિક એક્સપર્ટે આ કેસમાં ઘણી શંકાઓ વ્યક્ત કરી અને મુંબઇ પોલીસની કાર્યવાહી ઉપર પ્રશ્નો ઊભા કર્યા

મુંબઈ, તા. : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતનો કેસ જેમ જેમ આગળ વધી રહ્યો છે. તેમ તેમ સુશાંતનાં ફેન્સની શંકાઓ વધતી જઇ રહી છે. અને મુંબઇ પોલીસની તપાસ પર પ્રશ્નો ઉભા કરી રહી છે. હવે કેસ સીબીઆઈનાં હવાલે જતો રહ્યો છે. શરૂઆતી તપાસ બાદ પોલીસે કેસમાં જેવી ખબરો સામે આવી છે તેનો ઇશારો કંઇક અલગ છે. હવે એખ ફોરેન્સિક એક્સપર્ટએ કેસમાં ઘણી શંકાઓ વ્યક્ત કરી છે. અને મુંબઇ પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉભા કર્યા છે. સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કે કે સિંહ દ્વારા કરવામાં આવેલી  એફઆઈઆર બાદ મામલામાં દરરોજ નવાં ટ્વિસ્ટ આી રહ્યાં છે. ફોરેન્સિક એક્સપર્ટે દાવો કર્યો છે કે કેસમાં ઘણી ગડબડ કરવામાં આવી છે.

             જેમાં એક્સપર્ટે જણાવ્યું હતું કે, ત્યાં એક ડાયરી હતી. જેનાં કેટલાંક પન્ના ફાટેલાં હતાં. ત્યાં લોહીનાં નિશાન હતાં કે પંખો પણ વધુ નમેલો હતો. રિપોર્ટ મુજબ, ડાયરીનાં પહેલાં પેજ પર સુશાંતનું નામ અને - પન્ના ગૂમ હતાં. તેમણે એમ પણ કહ્યું કે અમને પણ માલૂમ પડી શક્યું કે તેમણે ફાડ્યું શું છે અને કોણે ફાડ્યુ છે? ફોરેન્સિક એક્સપર્ટે કહ્યું કે, પોલીસે ફોરેન્સિક ટીમને કંઇ પૂછ્યુ નથી. તો નેલ સેમ્પલ્સ લેવામાં આવ્યાં છે. સાથે સુશાંતનાં બેડરૂમની કડી તુટેલી હતી. ફોરેન્સિક એક્સપર્ટનાં ખુલાસા બાદ મુંબઇ પોલીસ ટીમની તપાસ પર ઘણાં સવાલ ઉઠી રહ્યાં છે. તો સુશાંતનાં ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની પર શંકા વધતી જઇ રહી છે. કારણ કે તેણે કહ્યુ હતું કે, તેણે દરવાજાની ચાવી માટે ચાવી વાળાને બોલાવ્યો હતો.

(12:00 am IST)