Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ પતિઅે હિન્દુ પત્નીના નિધન બાદ પણ પ્રેમ જાળવી રાખ્યોઃ પત્નીની અંતિમવિધી હિન્દુ શાસ્‍ત્રોક્ત વિધીથી કરી

નવી દિલ્હી- પત્ની હિન્દુ હતી અને પતિ મુસ્લિમ. યુવક કલકત્તા યૂનિવર્સિટીમાં પર્શિયનનો અભ્યાસ કરતો હતો અને યુવતી બંગાળીમાં માસ્ટર્સ કરતી હતી. બન્ને પ્રેમમાં પડ્યા અને 1998માં સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન કર્યા. લગ્ન પછી કોઈએ પણ ધર્મ બદલ્યો.

ગયા અઠવાડિયે નિવેદિતા ઘાતક રહમાને અંતિમ શ્વાસ લીધા. નિગમ બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરંતુ મંદિર દ્વારા બુકિંગ કેન્સલ કરી દેવાને કારણે તેમનો પરિવાર શ્રાદ્ધ કરી શક્યો. જો કે પછીથી સોશિયો-કલ્ચર ઓર્ગેનાઈઝશનમાં વિધી કરવામાં આવી હતી.

કોલકાતામાં રહેતા ઈમ્તિયાઝુર રહમાને જણાવ્યું કે, અમે ચિત્તરાંજન પાર્ક કાળી મંદિર સોસાયટીમાં 6 ઓગસ્ટના રોજ શ્રાદ્ધ માટે સ્લોટ બુક કરાવ્યો હતો અને તેના માટે 1300 રુપિયા પણ આપ્યા હતા. શ્રાદ્ધની તારીખ 12 ઓગસ્ટ રાખવામાં આવી હતી. પરંતુ એક કલાક પછી મને એક ફોન કોલ આવ્યો અને તેમણે અનેક વાર મને મારું નામ પુછ્યું. પછી તેમણે કહ્યું કે અહીં પૂજા નહીં થઈ શકે. મેં તેમને કારણ પુછ્યું તો તેમણે બંગાળીમાં કહ્યું કે, ‘તમે સારી રીતે સમજો છો…’.

ઈમ્તિયાઝુરે આગળ જણાવ્યું કે, ફોન પર મને કહેવામાં આવ્યું કે હું ડિપોઝિટ કરવામાં આવેલા પૈસા પાછા લઈ જઉ. મેં તેમને પૈસા પાછા લેવાની પાડી દીધી. ઉલ્લેખનીય છે કે ઈમ્તિયાઝુર પશ્ચિમ બંગાળના ડિરેક્ટરેટ ઓફ કોમર્શિયલ ટેક્સમાં આસિસ્ટન્ટ કમિશનર છે. અને તેમના સ્વર્ગસ્થ પત્ની નિવેદિતા કોલકાતાની એક સ્કૂલમાં બંગાળી અને સંસ્કૃત શીખવતા હતા.

CR પાર્ક કાળી મંદિર સોસાયટીના પ્રેસિડન્ટ અશિત્વા ભૌમિક જણાવે છે કે, અમે મંદિરના કસ્ટોડિયન છીએ અને દર બે વર્ષે તેની ચૂંટણી થાય છે. અમે હિન્દુ ધર્મના નિયમોને બદલી શકીએ. જો કે હું શ્રાદ્ધ કેન્સલ કરાવવા પાછળના કારણની તપાસ ચોક્કસપણે કરીશ.

નિવેદિતાના બહેન કૃતિકા કહે છે કે, નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કારની વિધીમાં પ્રકારની કોઈ અડચણ નહોતી આવી. મારા સિવાય ત્યાં હાજર દરેક વ્યક્તિ મારા જીજાજીના પરિવારના હતા, અને કોઈએ અમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન નહોતા પુછ્યા.

ઈમ્તિયાઝુર કહે છે કે, ધર્મ દરેકનો અંગત વિષય છે. મારા પત્ની હિન્દુ ધર્મ પાળતા હતા અને હું તે દરેક વસ્તુ કરીશ જે તે કરવા ઈચ્છતી હતી. નિવેદિતાની 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી કહે છે કે, મારી માતાની ઉંમર માત્ર 46 વર્ષ હતી. કોઈ અંતિમ ઈચ્છા વ્યક્ત કરવા માટે તે ઘણી યંગ હતા. પરંતુ જે પ્રકારનું જીવન તે જીવ્યા તેના પરથી ચોક્કસપણે કહી શકાય કે તે મૃત્યુ પછી પોતાના અંતિમસંસ્કાર થાય તે વધારે પસંદ કરતા.

(6:19 pm IST)