Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોરોના વાયરસ ઈન્ફ્લુએન્ઝા જેવો બની જશે : દરવર્ષે વેક્સિન લેવી પડશે : ICMR નો મોટો દાવો

વૈશ્વિકમાંથી સ્થાનિક મહામારીમાં ફેરવાશે કોરોના : ઈન્ડીયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડોક્ટર સમિરાન પાન્ડાનું નિવેદન

નવી દિલ્હી :ઈન્ડીયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડોક્ટર સમિરાન પાન્ડાએ જણાવ્યું કે કોરોના મહામારી હવે સ્થાનિક મહારીમાં ફેરવાની સંભાવનવા છે અને જેને ચેપ લાગવાની સંભાવના હોય તેમણે દર વર્ષે વેક્સિન લેવી પડશે.

તેમણે કહ્યું કે આજથી 100 વર્ષ પહેલા ઈન્ફ્લુએન્ઝા મહામારી બન્યો હતો પરંતુ હવે તે સ્થાનિક મહામારી બની છે.

તેમણે કહ્યું અમારુ માનવું છે કે કોરોના પણ ધીમે ધીમે વૈશ્વિક મહામારીમાંથી સ્થાનિક મહામારીમાં ફેરવાઈ જશે.

દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના ડિરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે કોરોનાના થોડા ઘણા કેસો તો આવતા રહેશે. શુન્ય એક અસંભવ આંકડો છે. વાયરસ સ્વરુપ બદલી રહ્યો છે તેથી ભવિષ્યમાં તેના વ્યવહારનું અનુમાન લગાડવું મુશ્કેલ છે. ફક્ત જીવવા માટે સ્વરુપ બદલી રહ્યો છે કોરોના

ફરીદાબાદ અમૃતા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. સંજીવ સિંહે જણાવ્યું કે આ એક એમઆરએનએ વાયરસ છે જે સતત પોતાનું બંધારણ બદલી રહ્યો છે. આ વાયરસ સ્માર્ટ છે અને જીવવા માટે સતત પોતાનું રુપ બદલી રહ્યો છે.

આઈવીએફ નિષ્ણાંત ડો. ગૌરી અગ્રવાલે જણાવ્યું કે સંપૂર્ણરીતે વાયરસનો ખાતમો થવો અસંભવ છે. 12-24 મહિનામાં કોરોના સ્થાનિક મહામારીમાં બદલાઈ જશે.

(11:50 pm IST)