Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કાલથી પૂ. મોરારીબાપુનાં વ્યાસાસને શ્રીનાથજીની નગરી નાથદ્વારામાં ઓનલાઇન શ્રીરામકથા

રાજકોટ તા. ૯: પૂ.મોરારીબાપુનાં વ્યાસાસને કાલે તા. ૧૦ ને શનિવારથી શ્રીનાથજીની નગરી નાથદ્વારામાં ઓનલાઇન શ્રી રામકથાનો પ્રારંભ થશે.

પૂ. મોરારીબાપુની ૮૬ર મી રામકથા શ્રીનાથજીની નગરી નાથદ્વારામાં કાલથી ઓનલાઇન શરૂ થશે. આ કથાનું જીવંત પ્રસારણ તા. ૧૦ ને શનિવારે સાંજે ૪ થી ૬ અને ૧૧ થી ૧૮ જુલાઇ સવારે ૧૦ વાગ્યે યુ-ટયુબ અને આસ્થા ટીવી ચેનલ પર થશે.કોરોનાની ગાઇડ લાઇનને કારણે પૂર્વ આમંત્રિત -મર્યાદિત શ્રોતાઓ સિવાય આ કથામાં અન્યને પ્રવેશ નિષેધ છે.

(11:50 am IST)