Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વહેલી સવારે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા : રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી : આજે વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે શુક્રવારે સવારે 5:56 વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી

મળતી માહિતી અનુસાર આ ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. અત્રે નોંધનીય છે કે આ પહેલા 18 જૂનનાં રોજ મણિપુરમાં 1:06 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, જ્યારે સોમવારે દિલ્હી-એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં કારણે ધરતી ધ્રુજી હતી, જેની તીવ્રતા 3.7 નોંધાઇ હતી.

(11:29 am IST)