Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઉજ્જૈનમાં વિકાસ બાદ બે વકીલોની પણ ધરપકડ

પોલીસ ડોન લઈ હાઈએલર્ટ પર હતી

ભોપાલ, તા. ૯ : ઉજ્જૈન પોલીસે ગુરુવારે સવારે વિકાસ બાદ લખનૌના બે વકીલોની પણ ધરપકડ કરી છે. બંને ખાનગી ગાડીમાં ઉજ્જૈન આવ્યા હતા. વિકાસને ઉજ્જૈન સુધી સલામત રીતે લાવવામાં પણ તેમની ભૂમિકા ચકાસવામાં આવી રહી છે. કારણ ઉત્તરપ્રદેશની સરહદ સાથે સંકળાયેલા તમામ રાજ્યોની પોલીસ ડોન વિકાસને લઈ હાઈએલર્ટ પર હતી. તેમ છતાં તે સહેલાઈથી ચકમો આપતો રહ્યો. એથી તેને હાલમાં પણ કોઈ મોટુ માથુ મદદ કરતું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ફરીદાબાદ અને ઉજ્જૈન વચ્ચે ૭૭૪ કિલોમીટરનું અંતર છે, તેને રોડ માર્ગે કાપવા માટે પણ ૧૪ કલાકનો સમય લાગતો હોય છે. તેની સાથે માર્ગ પર તમામ રાજ્યોની ચેકપોસ્ટ, ટોલનાકા પર પોલીસ કેટલી એલર્ટ હતી અને કોના વાહનોનું ચેકીંગ કરી રહી હતી, તેવા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે.

(9:57 pm IST)