Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

' આયુર્વેદ પદ્ધતિથી કોવિદ -19 નો પ્રતિકાર ' : અમેરિકા અને ભારતમાં ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરાશે : અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી તરંજીત સંધુએ આપેલી માહિતી

વોશિંગટન : વિશ્વભરમાં કોવિદ -19 ના હાહાકાર વચ્ચે તેનાથી રક્ષણ મેળવવા દુનિયાભરના વૈજ્ઞાનિકો નિત નવા સંશોધનોમાં વ્યસ્ત છે તેવા સંજોગોમાં ભારતની પ્રાચીન આયુર્વેદ પદ્ધતિથી કોવિદ -19 નો પ્રતિકાર કરવાની તૈયારી થઇ રહી છે.
અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી તરંજીત સંધુએ બંને દેશના વૈજ્ઞાનિકો તેમજ તબીબો ,અને તજજ્ઞો સાથેની ડિજિટલ મિટિંગમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા સાથે મળી આયુર્વેદ પદ્ધતિથી કોરોના વાઇરસનો પ્રતિકાર કરવાનું આયોજન કરી રહ્યા છે.જે માટે ક્લિનિકલ પરીક્ષણ કરાશે જેમાં સફળતા મલ્યે દુનિયાભરના લોકોને આ વાઇરસથી રક્ષણ મેળવવામાં અને તેનો પ્રતિકાર કરવામાં સફળતા મળશે.

(7:50 pm IST)