Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઉર્મિલા માતોડકર કોંગ્રેસને અલવિદા કરે તેવી શકયતા

શિવસેના અને ભાજપમાં જોડાવવા ઓફર મળ્યાની ચર્ચા ;કોંગ્રેસના ફોન ઉપાડવા બંધ કર્યા

 

મુંબઈલોકસભાની ચૂંટણીમાં ઉત્તર મુંબઈની બેઠક પરથી કોંગ્રેસના  ઉમેદવાર રહી ચુકેલી બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર કોંગ્રેસને અલવિદા કરે તેવી શકયતા ચર્ચાઈ રહી છે ઉર્મિલાએ પોતાની હારનું ઠીકરું કોંગ્રેસ કાર્યકર્તાઓના માથે ફોડ્યું છે. પત્ર જાહેર થઈ જતા ઉર્મિલા ભારોભાર નારાજ હોવાનું પણ મનાય છે

    ઉર્મિલા માતોડકરના નજીકના સૂત્રો પ્રમાણે, અભિનેત્રીને ભાજપ અને શિવસેના તરફથી પાર્ટીમાં શામેલ થવાની ઓફર્સ મળી રહી છે. ઉર્મિલા પણ દિશામાં ગંભીરતાપૂર્વ વિચાર કરી રહી છે

  ઘટનાક્રમ વચ્ચે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ઉર્મિલા માતોડકરને પોતાની પાર્ટીમાં શામેલ કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

  મુંબઈ કોંગ્રેસના એક પદાધિકારીઓએ નામ ના જાહેર કરવાની શરતે કહ્યું છે કે, ઉર્મિલાએ કોંગ્રેસ છોડવાનું લગભગ નક્કી કરી લીધું છે. તેણે કોંગ્રેસના નેતાઓના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે. જોકે આવનાર દિવસોમાં ઉર્મિલા પોતાનું વલણ નક્કી કરશે.

(12:45 am IST)