Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વિશ્વકપની ભારત ન્યૂઝીલેન્ડની મેચ કેન્સલ ;હવે કાલે રમાશે

વરસાદ અટક્યા બાદ મેદાનમાં અમ્પાયર પિચનું નિરીક્ષણ પછી લેવાયો નિર્ણય: મૅચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ ફરી શરૂ થશે

આઈસીસી વર્લ્ડકપના આજે સેમી ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહયો હતો ત્યારે વરસાદ વિલન બનતા મેચ સ્થગિત કરાઈ હતી ત્યાબાદ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં અમ્પાયર 10.40 કલાકે ઇન્સપેક્શન કર્યું હતું ત્યારબાદ મેચ રદ કરાયાનો નિર્ણ્ય જાહેર થયો છે હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે બપોરે મેચ રમાશે

ભારત સામે સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટે 211 રન બનાવ્યા છે. વરસાદના કારણે  મેચ અટકાવવામાં આવી હતી.

માન્ચેસ્ટરમાં ભારે વરસાદને કારણે હવે બુધવારે મૅચ રમાશે, એટલે કે બુધવારે મૅચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ ફરી શરૂ થશે. ન્યૂઝીલૅન્ડનો સ્કોર 46.1 ઓવરમાં 211/5 છે.

(11:07 pm IST)