Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અયોધ્યામાં વિવાદિત ભૂમિ મામલે પક્ષકારની સુપ્રીમકોર્ટમાં અરજી : તુરંત સુનાવણીની માંગણી

મધ્યસ્થતા પેનલની રચના કરાઈ પણ તેની કામગીરી હવે ઠપ થયાનો ઉલ્લેખ

નવી દિલ્હી : અયોધ્યામાં વિવાદિત ભૂમિ મામલે પક્ષકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ કે, અયોધ્યાના વિવાદને ઉકેલવા માટે જે મધ્યસ્થતા પેનલની રચના કરવામાં આવી તેની કામગીરી હવે ઠપ થઈ છે. જેથી આ મામલે સુપ્રીમ કોર્ટે તુરંત સુનાવણી કરવી જોઈએ.

   પક્ષકાર ગોપાલસિંહે કહ્યુ કે, મધ્યસ્થતા સમિતિ દ્વારા અયોધ્યા વિવાદનું સમાધાન આવી રહ્યુ નથી. અરજી બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતુ કે, આ મામલે સુપ્રીમ દખલ કરશે. અને સુપ્રીમે આ મામલે ધીરજ રાખવાની વાત પણ કરી છે. સુપ્રીમમાં આ કેસની સુનાવણી સીજેઆઈની અધ્યક્ષતા વાળી પાંચ જજની બેંચ કરી રહી છે.

(2:05 pm IST)