Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

20મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બનશે 1 દિવસ માટે મહેમાન

વલસાડમાં બે પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ : જૂનાગઢ પશુ હોસ્પિટલનો પ્રારંભ કરાવશે : ગાંધીનગર એફએસએલ કોન્ક્લેવમાં આપશે હાજરી

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક દિવસના ગુજરાતના મહેમાન બનશે. આગામી તા. 20મીએ વડાપ્રધાન ત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્રભાઈ મોદી તા. 20મીએ સવારે  10.30 વાગ્યે  વલસાડમાં 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો  લાભાર્થીઓને આપશે, સાથે ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું લાકાર્પણ પણ કરશે.

આ પછી, બપોરે 2 વાગ્યે જૂનાગઢ પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને સાંજે 5.30 વાગ્યે ગાંધીનગર ખાતે FSL કોન્કલેવના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે. જો કે તેમના આ એક દિવસીય ગુજરાત મુલાકાત નો સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે તેમ આધારભૂત સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે.

(7:47 pm IST)