Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બાપુ અને નરેશભાઇ અચાનક દિલ્‍હીમાં : શું પગલા લેશે : ભારે ચર્ચા

રાજકોટ તા. ૯ : ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને રાજકીય આટાપાટાના દિગ્‍ગજશ્રી શંકરસિંહ વાઘેલા આજે દિલ્‍હી પહોંચ્‍યા છે. જેના કારણે રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.
જોગાનુજોગ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ દિલ્‍હીમાં છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે નરેશભાઇ અને બાપુ માટે કોંગ્રેસના દરવાજા લગભગ બંધ છે.
ત્‍યારે હવે આ બંને દિગ્‍ગજો આપનો પાલવ પકડશે કે ‘કઇ રમતા અને હતા ત્‍યાંને ત્‍યાં' જેવું કરશે. તેની ભારે ચર્ચા છે.
જોકે ભાજપ અચાનક વહેલી ચૂંટણીનો દાવ ફેંકે તો આ બંને દિગ્‍ગજ નેતાઓ કોઇ પક્ષમાં ન જાય તેવી ચર્ચા એ પણ જોર પકડયું છે. સૌની નજર હવે પછીના નિર્ણય ઉપર મંડાયેલી છે.

 

(3:18 pm IST)