Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

તેલંગાણામાં ટ્રક અને ઓટો વચ્ચે ગમખ્વાર અકસ્માત :9 લોકોના કમકમાટીભર્યા મોત :17 લોકો ઇજાગ્રસ્ત

નિઝામસાગરના હસનપલ્લી ગેટ પર એક ટ્રક અને ઓટો વચ્ચે અકસ્માત: તમામ લોકો યાલારેડ્ડીમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા

તેલંગાણાના નિઝામસાગરના હસનપલ્લી ગેટ પર એક ટ્રક અને ઓટો  વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો યાલારેડ્ડીમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપી ડ્રાઈવરની પણ ઓળખ થઈ ગઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યેલ્લારેડ્ડી સાપ્તાહિક બજારમાં કેટલીક વસ્તુઓ ખરીદ્યા પછી, લોકો ટ્રોલી ઓટોમાં પિતલમ મંડલના ચેલ્લાર્ગી ગામ પરત ફરી રહ્યા હતા. તે જ સમયે તેની ઓટોને એક ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં 17  લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એ જ રીતે અન્ય બે ઈજાગ્રસ્તોનું પણ મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ દેવય્યા, લચવવા કેસૈયા, કામસવવા ઉપરાંત ઓટો ટ્રોલીના ડ્રાઈવર સાયુલુ તરીકે થઈ છે. અન્ય બે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હાલમાં બાંસવાડા સરકારી હોસ્પિટલમાં 17 મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

(12:27 pm IST)