Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

યુપીમાં કોરોના ચરમસીમાએ બેકાબૂ: ૧૫ દિવસમાં ભાજપના ૪ ધારાસભ્યોના મોત: એક વર્ષમાં ૧૩ રાજકીય હસ્તીઓએ જીવ ગુમાવ્યા

યોગી આદિત્યનાથના શાસન હેઠળના ઉત્તર પ્રદેશમાં કોરોનાવાયરસની બીજી લહેર દરમિયાન હજારો લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. યુપી વિધાનસભાના ૧૩ સદસ્યના મૃત્યુ થયા છે. ૧૫ દિવસમાં ભાજપના જે ચાર ધારાસભ્યોના મૃત્યુ થયા તેમાંથી સુરેશ શ્રીવાસ્તવ અને રમેશચંદ્ર દીવાકરના એક જ દિવસ ૨૩ એપ્રિલના નિધન થયા, જ્યારે ૨૮ એપ્રિલે કેસર સિંહ ગંગવાર અને ૭ મે ના રોજ બહાદુલ કોલીનું મૃત્યુ થયું હતું.

(10:52 am IST)