Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

12મીએ ત્રિપુરા પશ્ચિમ બેઠકમાં 168 મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજાશે :ચૂંટણીપંચનો મોટો નિર્ણય

11મી એપ્રિલે મતદાન વેળાએ કેટલાક પક્ષોએ હિંસા અને દોષારોપણનો આરોપ મૂક્યો હતો

ત્રિપુરા પશ્ચિમ લોકસભાની સીટમાં 168 મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. 11 એપ્રિલે મતદાન દરમિયાન કેટલાક પક્ષોએ હિંસા અને દોષારોપણનો આરોપ મૂક્યો હતો

આ પછી ચૂંટણી પંચે ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી અને તેના સુપરવાઇઝરના અહેવાલના આધારે નિર્ણય લીધો છે. પંચે પત્ર લખીને ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીને માહિતી આપી. પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રિપુરાના 29 વિધાનસભા મતવિસ્તારમાં 168 મતદાન બૂથ પર મતદાન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 12મી મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે.

(12:54 pm IST)